Friday, 14 March 2014

mevada suthar

શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર  સમાજ (ગુજરાત) અંબાજીથી આપ પરિચિત હશો જ. આ છેલ્લા પાંચ વર્ષથી રજીસ્ટર્ડ થયેલી સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં વસતા મેવાડા સુથાર પરિવારોને એકઠા કરી ગોળ અને વાડાને ભુલી સંગઠન કરવાનો છે.
અત્યારે પચ્ચીસ જેટલા ગોળના ભાઇઓ તેની વ્યવસ્થાપક કમિટિમાં પ્રતિનિધિ છે. ગુજરાત 26 જીલ્લાઓના તમામ મેવાડા સુથાર પરિવારોને એક મંચ ઉપર લાવવા આ સંસ્થા દ્રારા અંબાજી ખાતે શ્રી વિશ્ર્વકર્મા સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું છે. આ અતિથિ ભવનના બાંધકામ માટે રાજ્યમાંથી આપણા સમાજના પરિવારો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે. આ સાંસ્કૃતિક ભવન મેવાડા સુથાર પરિવારોની એકતાનું પ્રતિક બની રહશે. ગુજરાતના અઢાર હજાર ગામાડાઓમાં વસતા આપણા સમાજના પરિવારોને  આ કાર્યમાં જોડવાના છે. આ માટે રાજ્યના અલગ અલગ સ્થળે સભાનું આયોજન આ સંસ્થા દ્રારા સ્થાનિક ભાઇઓ/સંસ્થાઓના સહકારથી કરવામાં આવે છે.
મેવાડા સુથાર સમાજના સંગઠન હેતુ સમાજના મંડળો, ઘટકો, ગોળ, જ્ઞાતિ, વાડા અને જીલ્લાના નિમંત્રણ મુજબ સંગઠન સભાઓનું આયોજન થઇ રહ્યું છે. આગામી સમયમાં અંબાજી મુકામે સમાજનું મહાસંમેલન યોજાશે. આ માટે આપના મંડળ, ઘટક, ગોળ, વાડા અને સ્થાનિક પ્રતિનિધિ તથા વ્યક્તિગત સંપર્ક માટે આપની વિગતો સત્વરે મોકલી આપશો.



  • મેવાડા છાત્રાલય

    જુદા જુદા ગોળના સુથાર સમાજના ભાઇઓએ વર્ષો પહેલા મુંબઇ “શ્રી વિશ્વકર્મા મેવાડા જ્ઞાતિ મંડળ મુંબઇ” નામની સંસ્થાની સ્થાપના કરેલ અને વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડીઓ આપવાની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી. આ સંસ્થાના સહકાર અને પ્રયત્નથી અમદાવાદમાં નવરંગપુરા યુનિવર્સિટી અને કૉલેજોના વિસ્તારમાં “શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય” ની શરૂઆત થયેલ. ...read more
  • અતિથિભવન – અંબાજી

    આપણો વિશાળ સમાજ પણ ગુજરાત અને ગુજરાતની બહાર પથરાયેલો છે. સમગ્ર સમાજના પરિવારોમાં એકતાની ભાવના વિકાસે અને આપણે સૌ પરસ્પરની વધુ નજીક આવીએ એ હેતુથી આપણી આ સંસ્થા સતત કાર્યરત છે. આપણા સમાજની સેવાના વધુ એક સોપાન તરીકે, સંસ્થાએ મા અંબાના ધામ અંબાજીમાં એક અદ્યતન અતિથિભવનનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. ...read more
  • Contact us

    શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ – ગુજરાત
    અંબાજી દાંતા રોડ, જીલ્લો – બનાસકાંઠા, મુ. અંબાજી – ૩૮૫૧૧૦.
    ઇમેલ: info@mevadasuthar.com

No comments:

Post a Comment